આયોજન બધાને કેન્દ્રમાં રાખીને કરવું જોઈએ.જે સ્વાર્થથી પ્રેરાઈ ને વ્યવસાયનું આયોજન કરે છે તે વહેલા-મોડા ભાગી છૂટે છે.
જુના જમાનામાં એક શેઠ હતો . તે હવે આરામ કરવા માગતો હતો.પણ પ્રશ્ન એ હતો કે આટલો વિશાળ Business ત્રણમાંથી કયા દીકરાને સોંપવો.તેણે એક કસોટી કરવાનું વિચાર્યું . તેણે ત્રણેય દીકરાઓને વારાફરતી જમવાનું આમંત્રણ આપ્યું. આયોજન એવું કર્યું કે જમવા બેસે ત્યારે એક કૂતરો છોડી મુકવો.એક રૂમમાં પહેલાંને જમવા બેસાડ્યો. કૂતરો છોડ્યો તો પહેલો દીકરો જમવાનું છોડીને ભાગી ગયો. બીજાએ તો લાકડી લીધીને કૂતરાને મારી હાંકી કાઢ્યો.ત્રીજા દીકરાએ હોશિયારી વાપરી. એને જે વાનગી ખાવા માટે આપી હતી એમાંથી અડધી પેલા કૂતરાને આપી દીધી, તેથી કૂતરો શાંતિથી ખાવા લાગ્યો.ત્યારે દીકરાએ પણ જમી લીધું . શેઠે નક્કી કર્યું કે આ નાના દીકરાને ધંધો સોંપવો જોઈએ.
BUSINESS TIPS:-
આયોજન કરશો તો ત્રણ ફાયદા થશે. એક, ગતિ નક્કી થશે. બે, દિશા નક્કી થશે.ત્રણ, પરિણામ નક્કી હશે.